Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવનો ગોંડલમા લોકદરબાર: યોજાયો :લોકો દ્વારા વ્યાજકંવાદ ટ્રાફિક સહીત રજૂઆતો કરાઇ

વ્યાજખોરો ,ટ્રાફિક તથા પોલીસ ચોકી કાર્યરત કરવા સહિતના પ્રશ્ર્નોની રજુઆત થઈ

ગોંડલના ભગવતસિહ ટાઉનહોલ ખાતે રેન્જ આઇજીનાં યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરો ,ટ્રાફિક તથા પોલીસ ચોકી કાર્યરત કરવા સહિતના પ્રશ્ર્નોની રજુઆત થઈ હતી.

  રેન્જ આઇજી.અશોકકુમાર યાદવનાં ગોંડલ ડિવિઝન ઇન્સ્પેકશન દરમિયાન લોકદરબારનુ આયોજન કરાયુ હોય શહેર ના આગેવાનો,વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા બહોળી સંખ્યા મા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.લોકદરબાર માં મનસુખભાઇ સખીયાએ ટ્રાફિક તથા અવાવરુ સ્થળોએ ચાલતી ગુન્હાખોરી અંગે કિશોરભાઈ ઉનડકટે રાતાપુલ પાસેની બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરવા ભગવત ભુમીના પૃથ્વીસિહ જાડેજાએ બજારોમા થયેલા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી.

  નગર પાલીકાના કર્મચારી કેતનભાઇ ઉપાધ્યાયે પોતાનો પુત્ર વ્યાજખોરીના વિષચક્રમા ફસાયો હોય જેને કારણે પરીવાર ડીપ્રેશનની હાલતમા હોવાનુ કહી શહેરના પાંચ જેટલા વ્યાજખોરોથી બચાવવા રજૂઆત કરી હતી.

રેન્જ આઇજી.અશોકકુમાર યાદવે વ્યાજખોરી અંગે સત્વરે ફરિયાદ લઇ પગલા લેવા ખાત્રી આપી ટ્રાફિક સહીતની રજુઆતનો નિકાલ સત્વરે થશે તેવી ખાત્રી સાથે રાતાપુલની પોલીસ ચોકી બે દિવસમા કાર્યરત થઈ જશે તેવુ જણાવ્યુ હતુ.

 વધુ મા તેમણે જણાવ્યુ કે સમગ્ર દેશ મા કાયદો અને વ્યવસ્થામા ગુજરાત પ્રથમ સ્થાને છે. તેમણે કહ્યુ કે ગુન્હાખોરી ઘટી છે.સીસીટીવી સહીતની ટેક્નોલોજીથી ગુન્હેગારોને છટકવુ મુશ્કેલ બન્યુ છે.

કાર્યક્રમમા જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી ઝાલા,પીઆઇ સાંગાડા સહીત પોલીસ સ્ટાફ ઉપરાંત યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, નિમેષભાઈ ધડુક, ઓમદેવસિંહ જાડેજા,પ્રવિણભાઈ રૈયાણી,ગૌતમભાઇ સિંધવ, રાજેન્દ્રસિંહ જાડેજા,ગોપાલભાઈ ભુવા,જયદિપસિંહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત ઉપલેટા,જસદણ નગર પાલીકા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(1:05 am IST)