Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વેરાવળ આજોઠાના દિનેશભાઇ ભજગોતરની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં નિમણુંક

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૨૦ : વેરાવળ તાલુકાના આજોઠા ગામના ૧૯૯૫ થી ભાજપ સાથે જોડાયેલા અને સામાજીક શૈક્ષણિક કેળવણીકાર અરજણભાઇ ભજગોતરના પુત્ર દિનેશભાઇ ભજગોતરની ગીરસોમનાથ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં કો.ઓપ્‍ટ સભ્‍ય તરીકે નિમણુંક કરેલ છે.

તેઓ વેરાવળ તાલુકા અનુ.જાતિ ભાજપ મોરચામાં બે ટર્મ મહામંત્રી, ગીર સોમનાથ જીલ્લામાં યુવા મોરચામાં મંત્રી તરીકે સફળ જવાબદારીઓ નિભાવેલ છે. તેમજ તેઓ એસટી, એસસી, ઓબીસી સમાજના બાળકો માટે છાત્રાલયો અને આશ્રમશાળા સહિત પ્રાથમિક અને માધ્‍યમિક શાળામાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે અને પછાત સમાજના બાળકો શૈક્ષણિક રીતે આગળ આવે તે માટે સતત પ્રયત્‍નો કરે છે.

(11:52 am IST)