Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

પોરબંદરમાં રોકેટ ગતિએ વધતા કોરોનાના કેસઃ વધુ ૪ મૃત્યુઃ નવા ર૭ પોઝીટીવ કેસ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધતા જાય છે ર૪ કલાકમાં વધુ ૪ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયેલ છે. ઉપરાંત કોરોના પોઝીટીવના ર૭ નવા કેસ આવ્યા છે.

કોરોનાથી વધુ ૪ દર્દીઓના મૃત્યુ થતાં જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થયેલ દર્દીઓની  ુકુલ સંખ્યા ૧૧૪ પહોંચી છે.

કોરોનાના નવા ર૭ પોઝીટીવ કેસ શહેરનાં યુગાન્ડા રોડ વિસ્તાર, સુતારવાડા, ઝૂરીબાગ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રાણાવાવ - કુતીયાણા, માધવપુર, વિસ્તારોમાંથી આવ્યા છે. કોરાનાની સારવાર દરમિયાન ૯ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ સીવીલ હોસ્પિટલમાં કોરોનાના ૪૭ દર્દીઓ સારવાર લઇ રહેલ છે. હોમ આઇસોલેશનમાં ૩ર વ્યકિતઓ તથા કોવિડ કેર સેન્ટરમાં નવા ૧૦ દર્દીઓ સારવારમાં છે.

(12:54 pm IST)