Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જૂનાગઢમાં કોરોનાનો કહેર વધતા કાલથી પાંચ દિવસ સ્વૈચ્છિક બંધ પાળવા અપીલ

મર્યાદિત્ત ચહલ-પહલ, સેનિટાઇઝેશન અને સોસીયલ ડિસ્ટર્ન્સિંગ થી કોરોનાનો ફેલાવો વધતો અટકાવવા અપીલ

જૂનાગઢ  ઝવેરી એસોસિયેશન ના બધા જ સભ્યો  કોરોના રોગને  જૂનાઢ શહેરમાં ફેલાતો  અટકાવવા માટે ચિંતિત છે. આજ રોજ કલેક્ટર સાથે વાત કરી , સર્વે સોની વેપારી સભ્યોને વિનંતી કરાઈ છે કેઆપણે વેપાર-રોજગાર ને આગામી ૫ દિવસ , એટલે કે ૨૧-૪-૨૦૨૧ થી ૨૫-૪-૨૦૨૧ સુધી સંપૂર્ણ રીતે બંધ રાખીયે...

આ ઉપરાંત  મર્યાદિત્ત ચહલ-પહલ, સેનિટાઇઝેશન  અને  સોસીયલ ડિસ્ટર્ન્સિંગ થી કોરોનાનો ફેલાવો વધતો અટકાવીએ અને  આપણે સૌ એને ટેકો આપીયે.તેમ  અરવિંદભાઈ સોની
પ્રમુખ, જૂનાગઢ ઝવેરી એસોસિયેશનની યાદીમાં જણાવાયું છે

(7:31 pm IST)