Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નારીરત્‍ન સન્‍માનિત પ્રિયાંશી પટેલની સુરતમાં કલા પ્રસ્‍તુતી

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૮ :  શહેરની જાણીતી નાટય કલાકાર અને નારીરત્‍ન પુરસ્‍કારથી સન્‍માનિત થયેલ કુ. પ્રિયાંશી પટેલ સુરત ખાતે કલાના ઓજસ પાથરશે.  

પ્રિયાંશી પટેલને રાજ્‍ય કક્ષાએ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્‍કાર પ્રાપ્ત થયેલ છે. પાટીદાર સમાજનું ગૌરવ પ્રિયાંશી પટેલે ભાવનગરમાં ૨ વખત  નાટક ‘‘આંસુડે આથમ્‍યો અષાઢ''માં પણ ભૂમિકા ભજવી હતી. ભાવનગર, વડોદરા , નડિયાદ,પૂના અને હવે સુરતમાં  તા.૯ જુલાઈએ પોતાની કલા પાથરશે.

(11:29 am IST)