Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગોંડલના શ્રીનાથગઢ ગામે રસ્તા પ્રશ્ને બે પરિવારો વચ્ચે મારામારીઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ર૦: ગોંડલના શ્રીનાથગઢ ગામે રસ્તા પ્રશ્ને બે પરિવારો વચ્ચે મારામારી થતા પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

શ્રીનાગઢ ગામે રહેતા અસ્મિતાબેન ભરતભાઇ બાબરીયા (ઉ.વ. ર૩) એ અમરશી ઉકાભાઇ બાબરીયા, જયરાજ અમરશીભાઇ બાબરીયા તથા કંચનબેન અમરશીભાઇ બાબરીયા સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પરિવારજનોએ પોતાના ઘરના ફળીયામાં કાચી વંડી બનાવેલ હોય જે ઉકત આરોપીઓ ધકો મારી પાડવા લાગતા ફરીયાદી તથા તેના પિતાએ ના પાડતા ઉકત ત્રણેયએ ફરીયાદી તથા તેના પિતાને ઢીકાપાટુ઼નો માર માર્યો હતો અને ઇંટોના છુટા ઘા કરી ઇજા કરી હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કર્યો હતો.

સામા પક્ષે કંચનબેન અરવિંદભાઇ બાબરીયાએ અસ્મિતાબેન ભરતભાઇ બાબરીયા, ભરતભાઇ, દેવુબેન ભીખાભાઇ, ભીખાભાઇ પુનાભાઇ, જયોતિબેન ભરતભાઇ બાબરીયા તથા જટુભાઇ બાબરીયા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરી. તથા તેનો પુત્ર પોતાના વાડામાં જતા હતા ત્યારે આરોપી ભરતે કહેલ કે, અહીંયા ચાલવાનું નથી જેથી ફરીયાદીએ કહેલ કે પંચાયતમાં પણ અમારો રસ્તો અહીં જ છે તેમ કહેતા ઉકત આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકાથી ફરીયાદીના પતિ તથા ફરીયાદીના દિકરાને મુંઢમાર મારી ઇજા કરી હતી. આ ફરીયાદ અન્વયે તાલુકા પોલીસે ઉકત ૬ સામે ગુન્હો દાખલ કર્યો હતો.

(12:26 pm IST)