Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મોરબી પાસે સિરામીક ફેકટરીમાં શ્રમીકનો ગળો ફાંસો ખાઇ આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી પાસે સિરામીક ફેકટરીમાં શ્રમીકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર ઙ્ગત્રાજપર ચોકડી નજીક આવેલ અનિલ સિરામીક ફેકટરીમાં કામ કરતા રામદયાલ શાહ નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું. જેને પગલે તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મુદ્દે ઙ્ગમોરબી સીટી બી ડિવીઝન પોલીસે સી.આર.પી,સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:50 pm IST)