Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અમરેલીના વડિયા અને રાજુલામાં નીકળી ભવ્ય શોભાયાત્રા

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કર્યા શોભાયાત્રાના વધામણા; અમરેલીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી

અમરેલીમાં નીકળેલી શોભાયાત્રાના કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પુષ્પથી વધામણા કર્યા હતા.  દર વર્ષની જેમ અમરેલી શહેરમાં પણ જન્માષ્ટમી નિમિતે રાજમાર્ગો પર રથયાત્રા પસાર થઈ હતી. અહીં વિવિધ સંસ્થા અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.

 રાજુલા શહેરમાં ધારાસભ્ય અંબરીષ ડેર,પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત રાજકીય અગ્રણીઓ આ શોભાયાત્રામાં સામેલ થયા હતા. તેમજ દહીહાંડી  કરનારા બાળકો અને યુવાનોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો.સમગ્ર અમરેલી જિલ્લામા જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે. અહીંના પોલીસ કોમ્યુનિટી હોલના મેદાનમા શ્રીકૃષ્ણ ભગવાનનો આઠ ફુટ ઉંચો ફલોટસ ઉભો કરાયો છે.

(11:12 pm IST)