Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ગિરનારના હૃદયપુંજ સમા શ્રી જટાશંકર મહાદેવ મંદિર ખાતે ગોકુલોત્સવ એવમ મટકી ફોડ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ

આજરોજ ગીરનારના હૃદય પુંજ સમા શ્રી જટાશંકર મહાદેવ મંદિર ખાતે ગોકૂલોત્સવ એવમ નવમી કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડની ભવ્ય ઉજવણી મહંતશ્રી પૂર્ણાનંદજી ગુરુ શ્રી બાલાનંદજી ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ, હજારો શ્રદ્ધાળુઓ કે જેઓ રાજ્યભરમાંથી તથા રાષ્ટ્રના અલગ અલગ પ્રદેશોમાંથી આવેલા હતા એમણે પ્રત્યક્ષ ગોકુલોત્સવ નિહાળી ધન્યતા અનુભવી હતી, વિશેષમાં શિવભક્તો દ્વારા આ પ્રકારે સુંદર રીતે થયેલ ગોકુલત્સવ લોકો માટે મેળા જેવું આકર્ષણ ઊભું થયેલ, આ તકે મહંત શ્રી એ નંદોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવેલ કે શિવજી અને કૃષ્ણ ભગવાન વચ્ચે કોઈ ભેદ નથી, એક મંજુનાથ છે તો એક ગોપીનાથ તથા બંનેને યોગકલા અને યુદ્ધકળા માં મહારથ છે, વિશેષમાં બાપુએ જણાવેલ કે શિવજી એ પ્રથમ વૈષ્ણવ છે તો શ્રી કૃષ્ણ પ્રથમ શિવપ્રેમી ત્યારે જટાશંકર મંદિર ખાતે યોજાયેલ ગોકુલઉત્સવ અને મટકી ફોડનો હજારો ધર્મપ્રેમીજનોએ લાભ લીધેલ હતો.

(7:03 pm IST)