Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

આટકોટમાં નરેન્‍દ્રભાઇના જન્‍મદિન નિમિતે વેકસીન કેમ્‍પ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજયો

જસદણઃ નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાઈ રહીંયાં છે જેના ભાગ રૂપે જસદણ તાલુકાના આટકોટ ખાતે સરકારી આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ તેમજ વેકસીન કેમ્‍પ યોજાયો હતો.ᅠ પ્રધાનમંત્રીᅠ નરેન્‍દ્રભાઈ મોદી ના સપનાને સાકાર કરવા સમગ્ર દેશ ના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનો કામગીરી કરી રહીંયાં છે ત્‍યારેᅠ તેમના જન્‍મ દિવસનાં ભાગ રૂપે આટકોટ સરકારી આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જીલ્લા ભાજપ લદ્યુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગ, જસદણ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વીણાબેન બારોટ, આટકોટ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન ઇલાબેન જોટગીયા,વિપુલભાઈ વઘાસિયા, યોગેશ સાવલીયા,ડો.ચૌધરી, પોલીસ વિભાગના કર્મચારી બહેનો,આરોગ્‍ય કેન્‍દ્ર ના સ્‍ટાફ,ગીતાબેન બાવાજી,સહિતના આગેવાનો લોકો ઉપસ્‍થિત રહીંયાં હતા અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. (તસ્‍વીર-અહેવાલઃ ધર્મેશ કલ્‍યાણી, જસદણ)

 

(10:54 am IST)