Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામમાં ‘દાદા'ના દર્શનાર્થે પરષોતમભાઇ રૂપાલા

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત સાળગપુરધામમા આવેલ સૌનું આસ્‍થાનું પ્રતીક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ની મગળા આરતી સવારે ૫:૩૦ કલાકે પૂજય સ્‍વામીશ્રીᅠ ડી.કે.સ્‍વામીજીએ ઉતારેલ હતી તેમજ ‘શણગાર આરતી' પૂજય કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજી દ્વારા કરવામાં આવેલ હતી આ ઉપરાંત દાદાના દરબારમા શ્રી મારૂતિ યજ્ઞ યોજાયેલ હતો. આ ઉપરાંત શનિવારના રોજ કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોંતમભાઈ રૂપાલાજી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનાથે પધારેલા હતા અને પરમ પૂજય શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી (અથાળાવારા) તેમજ કોઠારી સ્‍વામી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા,, શનિવાર હોય દાદાᅠના દિવ્‍ય દર્શનનો લાભ વીશાળ સંખ્‍યામા ભાવિક ભક્‍તજનોએ લીધેલ હતો કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલાએ સાળગપુર મંદિર દ્વારા ચાલતા સેવાના કાર્યો પૂજય શાષાી સ્‍વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામીજી દ્વારા જાણી આનંદ અનુભવ્‍યો હતો.

 

(10:38 am IST)