Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજુલા વિસ્તારમાં વાવાઝોડા બાદ હજુ સુધી ખેતીવાડી ફિડરો બંધઃ રોષ

રાજુલા તા. ર૦ :.. તાલુકામાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડા બાદ હજુ સુધી ખેતીવાડી ફીડરોમાં લાઇટ આપવામાં આવેલ નહી હોવાથી ખેડૂત અગ્રણી નાગભાઇ વણઝર દ્વારા રોષની લાગણી વ્યકત કરેલ છે. વણઝર દ્વારા જણાવવામાં આવેલ છે કે, રાજૂલા વિસ્તારમાં હજુ તો વિજપોલ ઉભા કરવામાં આવેલ છે અને થોડા એવા વરસાદમાં રામપરા-ર, ભેરાઇ વચ્ચે વિજપોલ પડી ગયેલ છે. અને હજુ સુધી લાઇટ આપવામાં આવેલ નથી. ત્યાં તો વિજ પોલ પડી ગયેલ છે. હજુ સુધી હિડોરણા ફિડર, જોતાપુર ફીડર વિગેરેમાં લાઇટ આપવામાં આવેલ નથી. ત્યાં તો વિજપોલ ધરાશાયી થઇ ગયેલ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કઇક જુદી જ છે. આ અંગે વિજતંત્ર તાત્કાલીક યોગ્ય કરે અને ખેતીવાડી વિસ્તારોમાં વિજ  પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

(12:59 pm IST)