Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અલ્યાબાળાના અસરગ્રસ્ત પરિવારનોને ઉમિયાધામ સિદસર દ્વારા આર્થિક સહાય

રાજકોટ : તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના એનકે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાતા અનેક પરિવારોને ભારે સંકટનો સામનો કરવો પડયો છે. ત્યારે જામનગર નજીકના અલ્યાબાળા ખાતે તારાજી સર્જાઇ હતી. જેના પગલે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ૩પ અસરગ્રસ્ત પરિવારોને રૂ.રપ હજારની રોકડ સહાય કરવામાં આવી છે.ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા દ્વારા કડવા પાટીદાર સમાજના દાતાઓને સહાયની હાકલ કરવામાં આવી હતી જે થકી રૂ.૧પ હજાર જેટલી સહાય દાતાઓ તરફથી અને રૂ.૧૦ હજારની સહાય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. અતિ ભારે પુરની સ્થિતિ સર્જાતા રહેણાંક મકાનો, રોજીંદી જીવન જરૂરીયાતની ચીજો, આવકના સાધનો ગુમાવનાર પરિવારોને ઉમિયા માતાજી મંદિર સિદસર તરફથી મળેલ સહાય ફરી પુનઃવસન કરવામાં સહાય રૂપ બનશે. 

(3:08 pm IST)