Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પૂ.ભાનુબાઈ મ.સ.દેવલાલી ખાતે કાળધર્મ પામ્યા

રાજકોટ,તા.૨૦:  ગોંડલ સંપ્રદાયનાં જશ પરીવારનાં સાધનાદેવી પૂ. લલિતાબાઈ મ.સ. સમતાધારી પૂ. ઈન્દુબાઈ મ.સ. ના સુશિષ્યા મધુરભાષી બા.બ્ર. પૂજય ભાનુબાઈ મહાસતીજી તા.૧૯ ને રવિવારે દેવલાલી મુકામે નવકાર મહામંત્રના રટણ સાથે કાળધર્મ પામેલ. પૂ.શ્રીની પાલખી યાત્રા બપોરે નીકળેલ.

મધુરભાષી બા.બ્ર. પૂજય ભાનુબાઈ મહાસતીજીને આજીવન સંથારાનાં પચ્ચકખાણ રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે કરાવેલ.

પૂ.શ્રી ની ઉંમર ૭૦ વર્ષ અને દીક્ષા પર્યાય ૪૮ વર્ષ હતો. ગાદીપતિ પૂજય શ્રી ગિરીશચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરેલ.

પૂ.શ્રીના શિષ્યાઓમાં પૂ. ભકિતબાઈ મ.સ., પૂ. ભાવિનીબાઈ મ.સ., પૂ. અવનીબાઈ મ.સ. તેમજ પ્રશિષ્યા પૂ. એકતાજી મ.સ. છે. ગોંડલ સંઘ પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીએ ગોંડલ સંપ્રદાય વતી શ્રધ્ધાંજલી પાઠવેલ.

(3:09 pm IST)