Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભાવનગરના છાપરિયાળી ગામની પરિણીતાનો ત્રાસથી ગળાફાંસો

ભાવનગર,તા. ૨૦ : જેસર તાબેના છાપરીયાળી ગામમાં આવેલ આહીર શેરીમાં રહેતા હરેશભાઈ બાબુભાઈ રાઠોડ અને તેમના પત્‍ની રાજુબેન ગામમાં આવેલ હરિભાઈ જાદવભાઈ ભીલના હીરાના કારખાનામાં સાથે હીરા ઘસવા જતા હતા ત્‍યારે રાજુબેને તેમના પતિને હીરાભાઈ પોતાની સાથે ખરાબ વર્તન કરતા હોવાનું જણાવતા તેઓએ એક વર્ષ પહેલા હીરાનું કારખાનું છોડી દીધું હતું.

હરેશભાઈ અને તેના પત્‍ની રાજુબેને હીરા ઘસવાનું છોડી દીધું હોવા છતાં હરિભાઈ ભીલ રાજુબેન તેમના કારખાના પાસેથી પસાર થાય ત્‍યારે કોઈપણ કારણ વગર બોલાચાલી અને ઝઘડો કરતા હતા. ગત તા.૧૨/૯ ના રોજ રાજુબેન કચરો નાખવા જતા હતા ત્‍યારે પણ હરિભાઈએ રાજુબેન સાથે બોલાચાલી અને ઝઘડો કરી અપશબ્‍દો કહ્યા હતા જેથી રાજુબેનને લાગી આવતા તેમણે ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી દીધી હતી.

આ બનાવ અંગે મૃતક રાજુબેનના પતિ હરેશભાઈ બાબુભાઈ રાઠોડ એ હરિભાઈ ભીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જેસર પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:58 am IST)