Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભાવનગરમાં ટ્રક અને મોટરસાઇકલ વચ્‍ચે અકસ્‍માતમાં યુવકનું મોત

ભાવનગર : શિવાજી સર્કલ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્‍ચે અકસ્‍માતની ઘટનામાં યુવકનું મોત નીપજયું હતું. વિગતો મુજબ નિલેશભાઈ અશોકભાઈ વાજા તેમના મામા રાજુભાઇ પરમારનું હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ નંબર જી.જે ૦૪ એ.સી.૦૫૬૪ લઈને મોખડાજી સર્કલથી શિવાજી સર્કલ તરફ જતા હતા ત્‍યારે શિવાજી સર્કલ પાસે પાછળથી આવી રહેલ ડમ્‍પર ટ્રક નં. જીજે ૧૭ ટી ૫૯૯૬ ના ચાલકે મોટરસાયકલને પાછળથી ટલ્લો મારતા નિલેશભાઈને ગંભીર ઇઝા થઈ હતી.અકસ્‍માત સર્જી ટ્રક છોડી ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્‍માતની ઘટનામાં ઇજાગ્રત નિલેશભાઈ ને સારવાર અર્થે સર ટી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા જયાં ફરજ પરના ડોક્‍ટરે તપાસી તેમને મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક નિલેશભાઈના કાકા જયંતીભાઈ ધનજીભાઈ વાજાએ ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:04 am IST)