Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

મહુવામાં બંધ મકાનમાંથી રૂા. એક લાખના ઘરેણાં અને રોકડની ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૦ : મહુવાની જય કૃષ્‍ણ સોસાયટીમાં આવેલ બાબુભાઈ રણછોડભાઈ ઉનાગરના મકાનમાં ભાડેથી રહેતા અને પીપાવાવ પોર્ટમાં આસિસ્‍ટન્‍ટ મેનેજર તરીકે નોકરી કરતા દેવેન્‍દ્રભાઈ મનસુખલાલ ઉપાધ્‍યાય તેના પરિવાર સાથે નડિયાદમાં આવેલᅠ સાસરિયામાં ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી, મકાનના મુખ્‍ય દરવાજાનું તાળું તોડી, ઘરમાં પ્રવેશ કરી રૂમમાં કબાટમાં રાખેલ પાકીટમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧.૦૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે દેવેન્‍દ્રભાઈ ઉપાધ્‍યાયે અજાણ્‍યા તસ્‍કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:04 am IST)