Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રમેશભાઇ ભટ્ટની સ્‍મૃતિમાં જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રકતદાન

જસદણ : આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ-જસદણ દ્વારા ચતુર્થᅠ બ્‍લડ કેમ્‍પનું આયોજનᅠ ટ્રસ્‍ટના સભ્‍યોના વંદનીય ગુરૂ સ્‍વ. શ્રી રમેશચંદ્રᅠ નાનાલાલ ભટ્ટનાં સ્‍મરણાર્થે એમના શ્રાદ્ધ નિમિતેᅠ છાયાણી પરિવારની વાડીખાતે કરવામાં આવ્‍યુ હતું. આ રક્‍તદાનᅠ કેમ્‍પમાં વિશાળ સંખ્‍યામાં રક્‍તદાતાઓના ઉત્‍સાહથી ૯૦ બોટલ રક્‍ત એકઠું કરી ગુરૂની શિક્ષાનું ખરૂં ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અવારનવાર રક્‍તદાન કેમ્‍પ, કીડીયારૂ પુરવાનું અભિયાન,ᅠ પર્યાવરણ જાગૃતિ, હોસ્‍પિટલમાં દર્દીઓને ફ્રૂટ શીરો વગેરે વિતરણ સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ નિસ્‍વાર્થભાવે કરવામાં આવે છે.

(11:05 am IST)