Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઉનામાં નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિને રકતદાન કેમ્‍પ યોજાયો : ૭૪ બોટલ રકત એકત્ર

ઉના : ઉનામાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસે શહેર તાલુકા ભા.જ.પ. યુવા મોરચા દ્વારા મહારકતદાન કેમ્‍પ યોજાયો હતો. રકતદાન કેમ્‍પમાં ૭૪ બોટલ રકત રકતદાન દાતાઓ કરી માનવ સેવા બજાવી હતી.

ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ૭૨માં જન્‍મ દિવસે ઉના શહેર તથા તાલુકા ભા.જ.પ. યુવા મોરચા દ્વારા માધવબાગના સંકુલ મહારકતદાન યજ્ઞ યોજવામાં આવેલ હતો  આ કેમ્‍પનો પ્રારંભ પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડે દિપ પ્રગટાવી કરાવેલ હતું. આ કેમ્‍પમાં ભા.જ.પ. શહેર યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા તથા ૭૪ ભા.જ.પ.ના કાર્યકરો તથા ઉના શહેર તાલુકાના નાગરીકોએ બહુમલ્‍ય રકતદાન કરી ૭૪ બોટલ રકત દિવ્‍ય જયોત બલ્‍ડ બેંકના કાર્યકરોએ રકત એકત્રિત કરવા સેવ આપેલ હતી.

તમામ રકતદાતાઓનું જીલ્લા મહામંત્રી રાજુભાઇ ડાભી, જીલ્લા યુવા મોરચાના અધ્‍યક્ષ હિતેશભાઇ ઓઝા, જીલ્લા મહામંત્રી વિશાલ વોરા વિગેરે આગેવાનો અંગે પ્રમાણપત્ર આપી સન્નમાન કર્યુ હતુ. આ ૭૪ બોટલ બ્‍લડ દિવ્‍ય જયોત દિવ્‍ય-જયોત બ્‍લડ બેંકને અર્પણ કરી જરૂરીયાત મંદ લોકોને આપવામાં આવશે.

(11:45 am IST)