Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

અમરેલી જીલ્લામાં માછીમારો માટે કોંગ્રેસનું વિશેષ સંકલ્‍પ પત્ર જાહેર કરતા અંબરીશભાઇ ડેર

(અરવિંદ નિર્મળ - ઈકબાલ ગોરી દ્વારા) અમરેલી - સાવરકુંડલા તા.ર૦ : પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અંબરીશભાઈ ડેર દ્વારા માછીમારો માટે વિશેષ કોંગ્રેસનું સંકલ્‍પ પત્ર જાહેર કરવા પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન અમરેલીજિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરાયુ હતું.

જેમાં કોંગ્રેસી કાર્યકારી અધ્‍યક્ષ અંબરીશભાઈ ડેર દ્વારા ૨૦૨૨ માં જો કોંગ્રેસની સરકાર બનશે તો ફિશરમેંનો માટે અલગજ સંકલ્‍પ પત્ર જાહેર કર્યું હતું જેમાં ગયા વર્ષે તોકતે વાવાઝોડામાં સૌથી વધુ નુકશાન અમરેલી જીલાના જાફરાબાદ સહિતના માછીમારોને થયેલ હતું ને માછીમારો માટે ૨૦૨૨ નું સ્‍પેશ્‍યલ સંકલ્‍પ પત્ર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અંબરીશભાઈ ડેરે જાહેર કર્યું હતું.

જેમાં રાજય અને કેન્‍દ્ર સરકાર દ્વારા સેલટેક્‍સ મુક્‍ત ડીઝલ બંધ કર્યું જો કોંગ્રેસની ૨૦૨૨ માં સરકાર બનશે તો ૩૦ હજારથી લઈને ૩૬ હજાર લીટર ડીઝલ આપવાની જાહેરાત અંબરીશભાઈ ડેરે કરી હતી તો ફાયબર બોટોમાં પેટ્રોલ વાપરવાની મંજૂરી, પાકિસ્‍તાન દ્વારા માછીમારો ને ચાંચિયા ગિરી કરીને પકડી લેવામાં આવ્‍યા બાદ   માછીમારોની બોટો વર્ષો પછી સડી જતા આવી બોટ ને ૫૦ લાખની સહાય, પાકિસ્‍તાન માં માછીમારો  મળત્‍યુ પામે તો ૧૦ લાખનું પેકેજ ને જો પાકિસ્‍તાન જેલમાં માછીમારો ને પકડે તો ૩ લાખની સહાય સાથે એવા માછીમાર પરિવારને રોજનું ૪૦૦ રૂપિયા લેખે ભથ્‍થું અપાવામાં આવશે તો ફિશરમેન ના અને બોટ ના વિમાઓ આપવામાં આવશે,            

  જાફરાબાદ ના શિયાળ બેટ અને ચાંચ બંદરને બંદર તરીકે વિકસવામાં આવશે તો નાના ગળહ ઉંધોગ ગણાતા ઝીંગા ફાર્મની મંજૂરીઓ કોંગ્રેસની સરકાર બનશે તો સંકલ્‍પ પત્ર કાર્યકારી અધ્‍યક્ષ અંબરીશભાઈ ડેરે જાહેર કર્યો હતો.

(12:59 pm IST)