Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પોરબંદર જિલ્લામાં રવિવાર ચૂકી ગયેલા બાળકોને ઘેર જઇને પોલીયા ટીપા પીવડાવવાની કામગીરી

પોરબંદર તા.ર૦ : જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ તેના જન્‍મદિવસે ૦ થી પ વર્ષ સુધીના તમમ બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવા જિલ્‍લના દરેક માતા-પિતાને અપીલ કરી છે.

ગયા રવિવારના રોજ જુદા જુદા કેન્‍દ્રો ખાતે ૦ થી પ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્‍યા હતા ત્‍યારે રવિવારે ચૂકી ગયેલા અને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવી દરેક વાલીઓ પોતાના બાળકને પોલિયો મુકત બનાવે તેવી અપીલ કરી છે  આરોગ્‍ય વિભાગ સહિત જુદી જુદી ટીમો દ્વારા ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. જેથી બાકી રહેલા તમામ બાળકોને વાલીઓ ટીપા પીવડાવી આપણા જિલ્લામાં એક પણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તેવી અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ જન્‍મ દિવસ નિમિતે કરી હતી

(1:17 pm IST)