Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જામનગરમાં ચોખાના ૩.૪૧ લાખના શંકાસ્‍પદ જથ્‍થા સાથે ર ઝડપાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા.૨૦: જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને જામનગરના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એ.એસ.ગરચરના માર્ગદર્શન મુજબ એસઓજીના સ્‍ટાફના માણસો જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.

દરેડ જીઆઇડીસી ફેસ-૩, શિવ કોમ્‍પ્‍લેક્ષ, શિવ વે બ્રીજની પાછળ આવેલ ગોડાઉનમાં બે ઇસમોએ શંકાસ્‍પદ રીતે ચોરી કે છળકપટથી મેળવેલ ચોખાના બાચકા રાખેલ છે. જેથી સદરહુ જગ્‍યાએ રેઇડ કરતા ત્‍યાંથી કુલ ૩૧૭ ચોખા ભરેલ બચકા કુલ વજન ૧૭૦૭૦ કિલો જેની કુલ કિ. ૩,૪૧,૪૦૦નો મુદામાલ કોઇ બીલ કે આધાર વગર મળી આવતા જે તમામ મુદામાલ  મજકુર ઇસમોએ કોઇ ચોરી કે છળકપટથી મેળવેલ  હોવાનું જણાવ્‍યું હતું. જેથી મયંકભાઇ અશોકભાઇ સોજીત્રા જાતે પટેલ ઉ.વ.ર૭ રહે. ગ્રીનપાર્ક સોસાયટી બાપા સીતારામ ચોક મવડી રાજકોટ (ર) વૈભવભાઇ મનસુખભાઇ પાનસુરીયા જાતે પટેલ ઉ.વ.૩૦ રહે. આંબેડકનગર કૃતિ ઓનેલા એપાર્ટમેન્‍ટ સી-ર૦૩ મવડી ૧પ૦ રીંગ રોડ રાજકોટને ઝડપી લીધા છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. બી.એન.ચૌધરી તથા પો.સ.ઇ. એ.એસ.ગરચરની સુચનાથી એસઓજી સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(2:34 pm IST)