Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ધોરાજી ખાતે ઇદ એ મિલાદની ગાઇડ લાઇન મુજબ જુલૂસ યોજાયું

ધોરાજી ખાતે ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ મસ્જિદમાં વહેલી સવારે દરૂદ શરીફ નો ખતમ શરીફ પઢવામાં આવ્યો હતી. કોરોનાની નાબૂદી માટે દેશમાં ભાઈચારો જળવાઈ દેશની પ્રગતિ માટે દુઆ કરવામાં આવી હતી અને સરકારની ગાઈડ લાઇન અનુસાર જાહેરનામા મુજબ જુલૂસ શેરી મોહલ્લામાં કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં સદાત્ એ કિરામ ઓલમા એ દિન અને આશિકે રસૂલ અને મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી સાગર બાગ માર સાહેબની સૂચના મુજબઙ્ગ ધોરાજીના પીઆઈ હુકુમતસિંહ જાડેજા સહિત ધોરાજી પોલીસ સ્ટાફ મહિલા પોલીસ સ્ટાફે વ્યવસ્થા જાળવી હતી.

(11:24 am IST)