Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જય મા આશાપુરા... માતાના મઢના દ્વાર દર્શનાર્થીઓ માટે કાલથી ખુલશે

આરતી સયમે ફકત પૂજારી, સેવકગણની હાજરી, રહેવા- જમવાની સુવિધા બંધ

રાજકોટઃ માતાના- મઢ માં આશાપુરા મંદિર તા.૧૧ જુનથી સરકારશ્રીના નિયમ મુજબ દર્શનાર્થી ભાવિકો માટે ખુલશે. આરતી સમયે ફકત સેવકગણ, પુજારીશ્રી ઉપસ્થિતીમાં થશે. તેમજ સરકારશ્રીના આદેશની નોંધ દરેક ભાવિકજનોને પાળવાની રહેશે. તેમજ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. મંદિરના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. હાલના સંજોગોમાં રહેવા- ભોજનની સુવિધા બંધ રાખેલ છે. તેવું રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ભાવિકજનોને અપીલ કરી છે.

(11:46 am IST)