Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જુનાગઢના ઝાંઝરડાના એક જ પરીવારની બે સગીર દિકરીનું બદઇરાદે અપહરણ

અન્ય એક સગીરાને નુનાણાનો શખ્સ ભગાડી ગયો

જુનાગઢ, તા., ૧૦: જુનાગઢનાં ઝાંઝરડાના એક જ પરીવારની બે સગીર દિકરીનું બદઇરાદે અને અન્ય એક સગીરાને નુનાણાનો શખ્સ ભગાડી ગયો હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.

જુનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રહેતા અને માંગરોળ વિસ્તારના વતની એક પરીવારની ૧૬ અને ૧૪ વર્ષની સગીર વયની બે દિકરીને જુનાગઢના મધુમીનો રાજુ દેવીપુજક નામનો શખ્સ લલચાવી ફોસલાવીને ભગાડી અપહરણ કરી હોવાનું બહાર આવેલ છે.

 ગત તા.૭ના રોજ સવારના ૬ વાગ્યેે ઝાંઝરડા ખાતેથી બંને બહેનોનું અપહરણ કર્યાની ફરીયાદ સગીરાના પિતાએ ગત રાત્રે નોંધાવતા જુનાગઢ તાલુકા પોલીસે રાજુ દેવીપુજક સામે કલમ ૩૬૩ તથા ૩૬૬ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ તાલુકાના ઇન્ચાર્જ પીએસ આઇ એસ.એન.ક્ષત્રીય ચલાવી રહયા છે.

આ જ પ્રમાણે જુનાગઢનાં ટીંબાવાડી પાસેના આદિત્યનગરમાં રહેતા એક પરીવારની ૧૬ વર્ષની સગીર પુત્રીનું ગઇકાલે સવારના કેશોદના નુનાણા ગામનો રવિન્દ્રગીરી પ્રભાતગીરી મેઘનાથી નામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરીયાદ થતા પોલીસે જમાદાર એમ.બી.મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)