Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોંઘવારીથી મુકિત આપવા મહિલા કોંગ્રેસ દ્વારા વેરાવળ તંત્રને આવેદન સુપ્રત

સુત્રાપાડા, તા.૯: પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં મોંદ્યવારી મુદ્દે મુકિત આપવાની માંગ સાથે મહિલા કોંગ્રેસની આગેવાનો સાથે  વેરાવળના ડે. કલેકટર શ્રીને આવેદન પત્ર પાઠવી મોંદ્યવારી માંથી મુકિત આપવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ....

આ તકે ઉષાબેન કુસકીયાએ આ કોરોનાના કપરા કાળમાં ગરીબો અને મધ્યમ વર્ગ ની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા જ સંજોગોમાં દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયેલ છે તે સરકારની નિષ્ફળતા સાબિત કરે છે સરકારની ખોટી નીતિઓના કારણે આજે દેશભરમાં લોકોની મુશ્કેલીઓ વધવા પામેલ છે તેની તીવ્ર અને ગંભીર અસર માનવજીવન ઉપર પડી રહેલ છે ત્યારે સરકાર આ બાબતે એકશનમાં આવી ભાવો દ્યટાડવા ઉગ્ર માંગ કરેલ છે આ તકે મહિલા કોંગ્રેસ અગ્રણીઓ માં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ કિરણબેન ભીમજીયાણી - જસ્મીનબેન મુરીમાં - કાજલબેન ભજગોત્ત્।ર - જયોતિબેન મકવાણા - મંજુબેન સોલંકી - રમાબેન ચાવડા - પ્રવિણાબેન - નાનુબેન બાબુભાઇ - રીટાબેન - અંજુબેન પોપટ - છાયાબેન ધનેશા - ભાવનાબેન ત્રિવેદી - આરતીબેન પરમાર - કાજલબેન લાખાણી - સાજેદા મુસ્તાક - સાબેરાબેન બ્લોચ - નઝમાબેન પંજા - મુમતાજ કકાસીયા - મંજુબેન રબારી - પુંજીબેન ગોહેલ - સવિતાબેન પરસોતમ - હંસાબેન ચાંડપા - શારદાબેન ચાંડપા - નર્મદાબેન ગોહેલ - હંસાબેન મુળજી - નાનુબેન બાબુભાઇ - મંગુબેન ચાંડપા - ભાવનાબેન ગોહેલ - ગૌરીબેન નાથુભાઈ - ફરીદાબેન મન્સૂરી - શહેનાઝ મકવાણા - રહીમ બહારુની - ફાતમા શેખ - જયશ્રીબેન પરમાર - મૂળીબેન ચાંડપા - હર્ષિદાબેન જોશી - જયાબેન ચાંડપા - અમરીબેન ભજગોત્ત્।ર - જશીબેન ચાંડપા - જયાબેન ગીરીશભાઈ હાજર રહેલ.

સેવા સપ્તાહ ઉજવાયુ

૩૦મી મેના રોજ એનડીએ સરકાર ના સાત વર્ષ પૂર્ણ થતા સપ્તાહને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો ઉજવણીના ભાગ સ્વરૂપે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ઉના ગીરગઢડા જાફરાબાદ રાજુલા તાલુકામાં આવતી વાવાઝોડા માં અસરગ્રસ્ત લોકોને આજની કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી ઝવેરી ભાઈ ઠકરાર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદયભાઇ કાનગડ પ્રદેશ મહામંત્રી સનમભાઈ પટેલ પ્રદેશ ઉપપ્રમુખ જે કે ચાવડા, યોગેશભાઈ, નાજાભાઇ તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી દિલીપભાઈ બારડ માજી ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ કે સી રાઠોડ તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના તમામ પદાધિકારીઓ જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સંજયભાઈ ડોડીયા તથા આગેવાનો હાજર રહેલ હતા.

(11:55 am IST)