Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ધોરાજીમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

ધોરાજી : તેજાબાપા અન્નરોગ સહાયક ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં વિનામુલ્યે ૨૪૦માં નેત્રયજ્ઞમાં આંખના ડો.સ્નેહાબેન બરેડએ સેવા આપી હતી. જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન માટે વિરનગર લઇ જવાશે. આ સેવાકીય પ્રવૃતિને સફળ બનાવવા આર.કે.કોયાણી, સુરેશભાઇ વઘાસીયા, ઉકાભાઇ વૈષ્ણવ અને નેત્રયજ્ઞ સમિતિના લોકો જહેમત ઉઠાવી રહેલ છે.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:00 pm IST)