Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોરબીમાં સ્વ.ધવલભાઇ રાંકજાની સ્મૃતિમાં તા ૧૭ ના રક્તદાન કેમ્પનું આયોજન.

વધુમા વધુ રક્તદાન કરવા આયોજકોની અપીલ.

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ઇમેજિંન સેન્ટર ખાતે આગામી તારીખ ૧૭ ના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને ઇડન ગાર્ડન ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે
મોરબીમાં લોકોને ઉપયોગી થવા માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શહેરના રોડ ઉપર આવેલ સંસ્કાર ઇમેજિંન સેન્ટર ખાતે સ્વ.ધવલભાઇ ખીમજીભાઈ રાંકજાની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્તદાન કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ તેમજ ઇડન ગાર્ડન ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે અને રક્તદાતાઓ સવારે ૮ થી લઇને બપોરના ૧ વાગ્યા સુધી રક્તદાન કરી શકશે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે વધુમાં વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે અને વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ અને ૯૮૯૮૨ ૮૮૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે

(12:28 pm IST)