Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ખોડલધામ મંદિર પરિસર કાલથી ભાવિકો માટે ખુલશે

દરરોજ દર્શનનો સમય સવારે સાંજે ૭ થી સાંજના ૭ : ધ્વજારોહણ માટે ૫૦ વ્યકિતની મર્યાદા

રાજકોટ તા. ૧૦ : કોરોનાની બીજી લહેરમાં વાઇરસ સંક્રમણ વધી જતા છેલ્લા બે માસથી ખોડલધામ મંદિર બંધ હતુ. પરંતુ હવે સરકારની ગાઇડલાનના પાલન સાથે કાલે તા. ૧૧ થી દર્શન ખુલ્લા મુકવામાં આવશે.ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ સહીતના ટ્રસ્ટી મંડળે જાહેર કરેલ નિર્ણય મુજબ કાલથી દર્શન વ્યવસ્થામાં અનેક ફેરફારો સાથે મંદિર દરરોજ સવારે ૭ થી સાંજના ૭ સુધી  ખુલ્લુ રહેશે. તેમજ ધ્વજા રોહણમાં ૫૦ ભાવિકોની મર્યાદા રાખવામાં આવી છે.  મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનેટાઇઝ કરીને પ્રવેશ અપાશે. દર્શનાર્થીઓએ સોશિયલ ડીસ્ટન્સનું ખાસ પાલન કરવાનું રહેશે. તેમ ખોડલધામ ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

(3:17 pm IST)