Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કાલથી ગિરનાર રોપ-વે શરૂ થઈ જશેઃ મંદિરોમાં દર્શનની છૂટ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦ :. જૂનાગઢ ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગત જનની માં અંબે માતાજીના કાલથી દર્શન થઈ શકશે. રોપ વે પણ કાલથી શરૂ થશે.

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર ના ધર્મ સ્થાનો કોરોના મહામારી ના કારણે સરકાર શ્રી ના જાહેર નામાં અન્વયે મંદીરો માં ભાવીકો માટે દર્શન બંધ ના કારણે ગિરનાર ઉપરનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉસા બ્રેકો કંપની દ્વારા સંચાલીત ઉડન ખટોલા રોપવે પણ ભાવીકો માટે છેલ્લા દોઢ માસથી બંધ થયેલો રોપવે પણ કાલથી રાબેતા મુજબ શરૂ થઇ જશે અને સરકારશ્રીની ગાઈડલાઈનના પાલન સાથે ભાવીકોને દર્શનનો લાભ મળી શકશે.

કાલથી ભવનાથ ગિરનારના ધર્મસ્થાનો ઉપલા દાતારની જગ્યાં માં દર્શન કરવા ની છૂટ અપાશે.

(3:59 pm IST)