Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ભાવનગરમાં ૨૮૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને 3 ના મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૯,૪૭૪ કેસો પૈકી ૧,૬૧૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૨૮૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯,૪૭૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૯૫ પુરૂષ અને ૭૦ સ્ત્રી મળી કુલ ૧૬૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૨, ઘોઘા તાલુકાનાં વાળુકડ(ઘો) ગામ ખાતે ૩, ગારીયાધાર તાલુકાના પરવડી ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧૯, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૪, વલ્લભીપુર તાલુકાના ઇટાલીયા ગામ ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૧૧, તળાજા તાલુકાના ભાખલકા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના થોરડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના વરલ ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં દિહોર ગામ ખાતે ૪, પાલીતાણા તાલુકાના માયધાર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના હમિરપરા ગામ ખાતે ૫, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૬, તળાજા તાલુકાના ચુડી ગામ ખાતે ૪, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના નાની બાબરીયાત ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કોડીયા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કતપર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના મોટા આસરાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧, મહુવા તાલુકાનાં નીચા કોટડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૩, મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાનાં ઉખરલા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, પાલીતાણા ખાતે ૩, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના મોરચંદ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભંડારીયા ગામ ખાતે ૩, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભુતિયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના આંબલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના મઢડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના મોટી જાગધાર ગામ ખાતે ૩, તળાજા તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના મથાવડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ગઢુલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કઠવા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧ મળી કુલ ૧૨૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ પાલીતાણા તાલુકાના સતાના નેસ ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૮૧ અને તાલુકાઓમાં ૪૭ કેસ મળી કુલ ૧૨૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૯,૪૭૪ કેસ પૈકી હાલ ૧,૬૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૮૬ દર્દીઓનુ અવસાન થયેલ છે

(9:19 pm IST)