Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અંજાર લોહાણા મહાજન દ્વારા યોજાયેલ વિરાટ જ્ઞાતિ સંમેલન અને સમૂહલગ્ન સમારોહને શુભેચ્છાઓ પાઠવતા વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧

 પોતાના કચ્છ પ્રવાસ દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડો. નીમાબેન આચાર્યએ શ્રી અંજાર લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રૃપ દ્વારા આયોજીત ‘‘૩૬મો સમૂહ લગ્નોત્સવ તથા વિરાટ જ્ઞાતિ સંમેલન’’ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તેઓએ જણાવ્યું હતુ કે સમુહ લગ્નોત્સવ સમાજની એકતા અને અખંડતાને સુનિશ્ચિત કરે છે જે આપણા ગતિશીલ ભારત માટે અત્યંત જરૂરી છે તેમજ કાર્યક્રમ દરમિયાન જિંદગીનો નવો અધ્યાય પ્રારંભ કરી રહેલ વર વધુઓને હ્રદયપૂર્વક આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી.

(9:47 am IST)