Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ભગવાન શ્રી દ્વારકાધીશને ગોવર્ધન લીલા સ્‍વરૂપ પુષ્‍પશ્રૃંગાર દર્શન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૧ : દ્વારકાધીશ જગતમંદિરમાં અખાત્રીજથી બે માસ માટે ઠાકોરજીને ઋતુ અનુસાર ગરમીથી બચવા માટે સાંજના સમયે વિવિધ દૈદિપ્‍યમાન પુષ્‍પશ્રૃંગાર મનોરથ યોજવામાં આવી રહ્યા છે.
આજરોજ ઠાકોરજીને વરસતા વરસાદ વચ્‍ચે વિશાળ ગોરર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉઠાવી ગોકુળમાં સર્વે જીવોનું ઇન્‍દ્રના રૌદ્ર સ્‍વરૂપથી ગૌ-ગોવાળનું રક્ષણ કરતાં ગોવર્ધનરાયજી સ્‍વરૂપમાં વિશિષ્‍ટ પુષ્‍પશ્રૃંગાર યોજવામાં આવ્‍યા હતા.
ઠાકોરજીના દૈદિપ્‍યમાન દર્શન મનોરથને ઉપસ્‍થિત હજારો ભાવિકો ભાવવિભોર બન્‍યા હતા. આ સાથે વિવિધ ઓનલાઇન માધ્‍યમોથી દેશ વિદેશમાં વૈષ્‍ણવોએ ઠાકોરજીના દિવ્‍ય દર્શનની ઝાંખી નિહાળી હતી. (તસ્‍વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

 

(10:29 am IST)