Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

જૂનાગઢ જિલ્લામાંથી કોરોનાની વિદાયઃ જૂનાગઢ ગ્રામ્યમાં એક જ કેસ

તમામ દર્દીઓ સ્વસ્થ એક પણ ડિસ્ચાર્જ નહિ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૧: જૂનાગઢ જિલ્લામાંથી કોરોનાએ વિદાય લેવાનું શરૂ કર્યું હોય તેમ નવા કેસ ઝીરો થવા તરફ છે.

૨૪ કલાક દરમ્યાન એક માત્ર જૂનાગઢ ગ્રામ્યમાં એક જ નવા કેસની એન્ટ્રી થઇ હતી. જ્યારે જૂનાગઢ સીટી, કેશોદ, ભેંસાણ, માળીયા, મેંદરડા, માણાવદર, માંગરોળ, વંથલી અને વિસાવદર વિસ્તાર કોરોના મુકત રહ્યા હતા.

જિલ્લામાં કોરોનાના તમામ દર્દી સ્વસ્થ હોય એક પણનું ડિસ્ચાર્જ થયુ ન હતું.

ગઇ કાલે જૂનાગઢ સીટીમાં ૨,૧૧૩ અને ગ્રામ્યમાં ૯,૦૭૭ મળી કુલ ૨૧,૧૯૦ દર્દીએ વેકિસન લીધી હતી.

(10:33 am IST)