Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ભાવનગરઃ શ્રીફળનો હોમાત્મક યજ્ઞ

ભાવનગરઃ સુરતના જહાંગીરપુરામાં સંત લાલબાપુ 'રામમઢી'ના પૂ. મહામંડલેશ્વર શ્રી મુળદાસબાપુ (હર ઈન્સાન કે લીયે માનવતા કી રોટી)ના દ્રઢ સંકલ્પ બળથી પાંચ દિવસ સવા લાખ શ્રીફળનો હોમાત્મક યજ્ઞ યોજાયેલ. મહાયજ્ઞનો મંગલદીપ પૂ. માં કનકેશ્વરી દેવી, મહાદેવબાપુ, ભરતબાપુ તેમજ લાલજી મહારાજે પ્રજ્વલીત કરેલ. ઉત્તર રાંદેર, દક્ષિણ કિંડાણી, પૂર્વ સરથાણા, પશ્ચિમ વેસુ મળી ચાર દિશા અને ઈશાન, અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય મળી ચાર ખૂણામાં ૩૧ કુંડ જેમા મુખ્ય કુંડ ૨૧ સ્થાપિત કરાયેલ હતા. પીસ્તાલીસ વિદ્વાન ભૂદેવો યજ્ઞનું માર્ગદર્શન અને સંચાલનમાં રહેલ. આ પ્રસંગે ૩૬ ગણમાન્ય વકતાઓએ આશિર્વાદની ઝડી વરસાવી હતી. દ્વિતીય અગિયાર હજાર શ્રીફળનો હોમાત્મક યજ્ઞ અષાઢી બીજના દિને રામદેવરા (રાજસ્થાન) ખાતે યોજાયેલ તે હોમાત્મક યજ્ઞની તસ્વીર.

(10:34 am IST)