Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

કચ્છના નખત્રાણાના મોટી ખોંભડી ગામે સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરાતા ગ્રામજનોમાં રોષ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કચ્છના નખત્રાણા તા.ના મોટી ખોંભડી ગામે અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સરપંચ દિલીપસિંહ જાડેજાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી ગામની શાંતિ ડહોળવા માંગતા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. સરપંચ અને ગ્રામજનોના રોષ અને આ કૃત્ય અંગે થયેલ ફરિયાદને પગલે પોલીસે ગામમાં પહોંચી તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)