Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જામજોધપુરમાં રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં સ્ત્રી સશકિતકરણ કાર્યક્રમ યોજાયો

 જામજોધપુરઃ શહેરમાં લોહાણા મહાજન વાડી ખાતે રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં સ્ત્રી સશકિતકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપી હતી. તથા મહિલાઓના આર્થિક અને સામાજિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(10:20 am IST)