Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

લોધીકાના બાલસર ગામે સ્વ. સંજયભાઇ લોખીલને શ્રધ્ધાંજલી રૂપે મહા રકતદાન કેમ્પ યોજાયો : બહોળી સંખ્યામાં આહિર સમાજની મહિલાઓએ રકતદાન કરી સમાજને નવો રાહ ચીંધ્યો

ખીરસરાઃ લોખીલ એક આહિર સમાજ ના સામાન્ય પરીવારના છે તેવો યુવા અવસ્થામાં સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલી હતા તેની ઇચ્છા પૂર્તિ માટે બાલસર ગામના આહિર સમાજના યુવાનો દ્વારા સંજયભાઈ લોખીલને શ્રદ્ઘાંજલી રૂપે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમા ગામના આહિર સમાજના યુવાનો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આહિર સમાજ તેમજ સર્વ સમાજના યુવાનો એ રકતદાન કેમ્પમાં ભાગ લયને સંજયભાઈ લોખીલને શ્રદ્ઘાંજલી આપેલ તેમજ આ રકતદાન કેમ્પમા બહોળી સંખ્યા આહિર સમાજની મહિલાઓ એ રકતદાન કરી સમાજને નવી રાહ ચીંધેલ. સંજયભાઈ લોખીલ ને શ્રદ્ઘાંજલી ના બ્લડ ડોનેશન કેમ્પ મા પધારેલ આહિર સમાજના અગ્રણીઓ તેમજ સ્વામી નારાયણ સંપ્રદાયના સંત શ્રી ભકિત સ્વામી તથા રાજકીય અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટય કરી શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ સેવાકીય કાર્યમાં રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી જીલ્લા પંચાયત ચેરમેન સહદેવસિહ જાડેજા આહિર સમાજ અગ્રણી રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા આહિર સમાજ અગ્રણી લાભુભાઈ હુંબલ વાજડી વિરડા આર.જે.રામ રાજકોટ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પી.આઇ. આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગૃપના પ્રણેતા લોધીકા મામલતદાર શ્રી કે.કે.રાણાવશીયા ઘનશયામભાઇ હેરભા પીડી માલવિયા કોલેજ ટ્રસ્ટી મહામંત્રી મનિષભાઇ ચાંગેલા તેમજ આહિર સમાજ મહિલા અગ્રણી લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડઙ્ગ દેવાયતભાઇ કુગશીયા સરપંચ બાલસર ઉપર સરપંચ વીરભાનુભાઇ મૈત્રા રાજકોટ લોધીકા સંધના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત દંડક મુકેશભાઈ તોગડિયા કિશાન મોરચા પ્રદેશ પ્રમુખ વિજયભાઈ કોરાટ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયાઙ્ગ યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા ઉપપ્રમુખ યુવરાજ કુવાડીયા વિક્રમ બોરીચા તાલુકા ભાજપ કિસાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢાઙ્ગ ઙ્ગ રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભીઙ્ગ લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડઙ્ગ મનહરભાઈ બાબરીયા રાજકોટ જિલ્લા બેંક ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા આહીર સમાજ તેમજ બીજા અનેક સમાજ ના અગ્રણી રકતદાતાઓ ઉપસ્થિત રહેલ અને સંજયભાઈ લોખીલ ને શ્રદ્ઘાંજલી અર્પણ કરેલ છે. (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:52 am IST)