Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

તાવ-શરદી બાદ મોરબીના ૮ માસના સિધ્ધાંતનું મોત

રાજકોટ તા. ૨૧: મોરબીના લાલપુરમાં શિશમ સિરામીક પાસે રહેતાં દેવેન્દ્ર વસોટના પુત્ર સિધ્ધાંત (ઉ.૮માસ)ની તબિયત બગડતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સિધ્ધાંત બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પિતા સિરામીક ફેકટરીમાં કામ કરે છે. તેના કહેવા મુજબ બાળકને તાવ-શરદી-ઉધરસ થઇ ગયા બાદ તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(1:16 pm IST)