Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાલાવાડ તાલુકા મધ્‍યાહન ભોજન યોજનાના કર્મચારીઓના ધરણા

કાલાવાડ, તા.૨૧: કાલાવડ તાલુકા મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા વેતન વધારા તથા અન્‍ય પ્રશ્‍ન માટે ધરણાનો કાર્યક્રમ આપેલ છે તેમજ આજ થી કાલાવડ તાલુકાના તમામ મધ્‍યાહન ભોજન કેન્‍દ્ર અચોક્કસ મુદત માટે બંધ રાખી હડતાલમા જોડાય છે આવતીકાલે મામલતદાર ઓફિસ સવારે ૧૧ વાગ્‍યાથી ૨ વાગ્‍યા સુધી ધરણાનો કાર્યક્રમ રાખેલ તેમ અંબાલાલ જાડેજા પ્રમુખ જામનગર જિલ્લા મધ્‍યાહન ભોજન  મંડળ, પ્રમુખ કાલાવડ તાલુકા મધ્‍યાહન ભોજનના કિશોરભાઈ જોશીએ જણાવેલ છે.

(11:21 am IST)