Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિસાવદરમાં મહારાષ્‍ટ્રિયન ભિક્ષુકનુ અવસાન થતા સંસ્‍થાકીય વડાઓએ અંતિમ સંસ્‍કાર કર્યા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૧: વિસાવદરના જાંબુડી ગામે રકતપિત કેન્‍દ્રમાં રહેતા મહારાષ્‍ટ્રિયન ભિક્ષુક રાજુભાઈ કિટુભા ચોગલેનું દિપડાનાં ફાડી ખાતાં મળત્‍યુ થતાં જેની નિયમાનુસાર કાર્યવાહી બાદ વિસાવદરની સેવાકીય સંસ્‍થાઓ દ્વારા અંતિમ સંસ્‍કાર વિધિ કરવામાં આવી હતી. જેમાં ગણપતિ ઉત્‍સવ સમિતિનાં પ્રમુખ સુરેશભાઈ સાદરાણી,માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, લાયન્‍સ કલબ વિસાવદરના પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા, લાયન્‍સ કલબ વિસાવદરના સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ, સેવાભાવી મહેન્‍દ્રભાઈ જીવાણી,જુમાભાઈ બલોચ, જનકભાઈ ચૌહાણ, પ્રવિણભાઇ ધાવરી સહિતનાં સમાજસેવકો માનવ સેવા કાર્યમાં જોડાયા હતા.

(1:19 pm IST)