Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જેતપુરમાં માલધારી સમાજ દ્વારા ગૌચર પ્રશ્ને રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર

દૂધની ડેરી ચાની હોટલો બંધ રાખી સમર્થન આપ્‍યુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૧: માલધારી સમાજ  દ્વારા પોતાની ૧૧ માંગણીઓનો પ્રશ્ને આજરોજ ગુજરાત બેચનું એલાન આપવામાં આવેલ જેમાં શહેરથી ગુજરાતમાં માલધારી મહાપંચાયત, ભરવાડ, રબારી, ચારણ સમાજના ધર્મગુરૂઓના આહવાનથી બંધમાં જોડાઇ દૂધની ડેરીઓ, ચાની હોટલો બંધ રાખી બહોળી સંખ્‍યામાં જીમખાના મેદાન ખાતે એકત્રીત થઇ રેલી સ્‍વરૂપે મામલતદારને આવેદન પત્ર પાઠવતા જણાવેલ કે ગોચરની જમીનની પેશકદમી હટાવવી, પશુપાલકોને પડતી મુશ્‍કેલીઓનું નિરાકરણ લાવવું. જો દિવસ ૧પમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પોતાના ગૌંધન સાથે મામલતદાર કચેરીનો ઘેરાવ કરશે. તેનાથી કોઇ પરિસ્‍થિતિ સર્જાય તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્‍ચારેલ છે.

(1:24 pm IST)