Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ભાજપે દેશમાં વિભાજન સાથે રાજકારણ કરીને દેશને ખોખલો બનાવ્‍યોઃ વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૧: અમરેલીના પુર્વ સાંસદ અને લાઠી વિસ્‍તારના ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યું હતું કે, મોંઘવારીના નામે સતત કોંગ્રેસ ભાળતી ભારતીય જનતા પાર્ટી અને તેના મંત્રીઓ તેમજ રાજયના મંત્રીઓ અને ભાજપ પાર્ટીને એક વેધક સવાલ પુછીને જણાવ્‍યું હતું કે, ગુજરાતની ભોળી પ્રજા હવે આપનાથી ખુશ નથી ત્રાહીમામ પોકારી ચુકી છે. આંગણવાડી બહેનો હોય કે ગરીબ મહિલાઓ હોય, કર્મચારી મંડળો તમામ વિભાગ કે અધિકારીઓ આજે ભય નીચે જીવી રહ્યા છે.

ર૦૧૭ માં અનેક મંડળોને તે વખત ચાલતા આંદોલનમાં સર્વિસબુક પ્રમાણે લાભો આપવા માટે લેખિત બાંહેધરી આપ્‍યા બાદ ગુજરાતની સરકારને પાંચ વર્ષ પુર્ણ થવા જાય છે. આખુ મંત્રી મંડળ પણ બદલાઇ ચુકયુ છે ચૂંટણીઓ માથે તોળાઇ રહી છે. ત્‍યારે ફરી વખત કર્મચારી મંડળો આંગણવાડી બહેનો આંદોલન કરી પોતાની માંગણીઓ સરકાર પાસે રજુ કરી રહી છે.

ઇન્‍ટરનેશનલ માર્કેટમાં ફુડના બેરલ દિઠ ઘટેલા ભાવનો હિન્‍દુ સ્‍થાનની અને ગુજરાતની પ્રજાને લાભ આપવા માંગો છો કે કેમ? તે અંગે ખુલાસો કરે તેમ ઠુંમરે માંગ કરી હતી માત્ર દેશમાં વિભાજન કરી અને રાજકારણ ચલાવી દેશને ખોખલો બનાવ્‍યો છે.ે રાહુલજીનુ ટી-શર્ટ જોવાને બદલે જેમના વડવાઓ આ દેશ માટે બલિદાન આપી કરોડોનું દાન આપીને દેશને એક કર્યો છે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જે રીતે બોંબથી ઉડાવ દેવામાં આવ્‍યા તેમના કપડા હજુપણ સચવાયેલા છે તે કયાં ચશ્‍માથી જોઇ શાય તેમ છે ખેડુત અગ્રણી પૂર્વ સાંસદ અને લાઠીના ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યુ છે.

તેમ એક પ્રેસ મીડીયામાં કોંગ્રેસ અગ્રણી જીતુભાઇ વાળા, પ્રભાતભાઇ કોઠીવાળ જિ.પં. સદસ્‍ય ટીકુભાઇ વરૂ, નરેશભાઇ અધ્‍યારૂ, રફીકભાઇ મોગલ, કે.કે.વાળા જમાલભાઇ મોગલ, વિક્રમભાઇ પાવર, રાજપુત સમાજ અગ્રણી દામનગર વિસ્‍તારના હરીભાઇ ભરવાડ, મુનભાઇ જુઠાણી વેપારી અગ્રણી ઇકબાલ ગોરી તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલા જુદા-જુદા મસાજના અગ્રણીોએ જણાવ્‍યું હતું.

(1:47 pm IST)