Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જામનગરમા માલધારી સમાજના આસ્થાનું કેન્દ્ર મનાતા આઇશ્રી સોનલ માતાજીના મંદિરે દૂધપાક બનાવી માલધારી સમાજના લોકોએ સાથે પ્રસાદ લઈ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો

જામનગર::જામનગરના સોનલ મંદિર ખાતે માલધારી સમાજ દ્વારા દૂધપાક બનાવીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો હટાવવાની માગણી સાથે દેખાવો થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં સવારે કેટલાક વિસ્તારોમાં માલધારી સમાજ સાથે સંકળાયેલા લોકોએ વિરોધ સાથે દૂધ વિતરણ વ્યવસ્થા બંધ રાખી હતી ત્યારે જ માલધારી સમાજના આસ્થાનું કેન્દ્ર મનાતા આઇશ્રી સોનલ માતાજીના મંદિર ખાતે દૂધપાક બનાવી માલધારી સમાજના લોકોએ સાથે પ્રસાદ લઈ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી , તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(3:00 pm IST)