Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સાવરકુંડલાના વીજપડી ગામે કાલે ખેડૂતોના વીજ પ્રશ્‍ને ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત અને અંબરીશભાઇ ડેર દ્વારા લોક દરબાર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૧: સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સબ ડિવિઝન પીજીવીસીએલની ઓફીસ ખાતે વીજ પુરવઠાᅠ માટે પ્રશ્ન હોય તે માટે તારીખ ૨૨-૧૦-૨૧ને શુક્રવારે ના રોજ ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત અને રાજુલા જાફરબાફના ધારાસભ્‍યᅠઅંબરીશભાઈ ડેર દ્વારા લોક દરબાર યોજાશે.
તોઉતે વાવાજોડા બાદ પુન હજુ ધણા વિસ્‍તાર માં વીજ પુરવઠો ન મળતો હોવા ને કારણે આવતા ૨૨-૧૦- ૨૧ને શુક્રવારે સાવરકુંડલા તાલુકાના વીજપડી પીજીવીસીએલ ઓફિસ ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત અને રાજુલા જાફરાબદના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરના સંયુક્‍ત આયોજન દ્વારા ખેડૂતો લોક દરબાર રાખવામાં આવેલ છે તો ખેડૂતને વીજ પુરવઠાનો પ્રશ્ન હલ કરવા માટે યોજવા માં આવેલ લોક દરબારમાં ખેડૂતો એ મોટી સંખ્‍યા માં હજાર રહેવું જેથી કરીને નિયમિત અને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે.

 

(10:35 am IST)