Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શ્રી ઉદાસીન આશ્રમ, તાલાલાગીરમાં શરદપૂર્ણિમા નિમિતે 'રાસ ગરબા' તેમજ ગામની ગરબી મંડળ બાળાઓ માટે મહાપ્રસાદ

વાંકાનેરઃ તાલાલાગીરમા આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી બ્રહ્મમેશ્વર મહાદેવ મંદિર, 'શ્રી ઉદાસીન આશ્રમ' ખાતે પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવશ્રી સોંબરનદાસબાપુ ની અસીમ કૃપાથી તેમની તપોભૂમિમા તારીખ.૨૦ / ૧૦ / ૨૧ ને બુધવાર ના શરદ પુર્ણિમા ના પાવન પુણ્યશાળી પર્વે પરમ પૂજય પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપુના મંદિરે 'પૂનમ' નિમિતે' ૧૦૮ દીપમાળા સાથે મહા આરતી' સાંજે કરવામાં આવેલ હતી જે દર પૂનમના પૂજય સદગુરૂશ્રી સોબરનદાસબાપુ ના મંદિરે 'દીપમાળા' સાથે મહા આરતી કરવામાં આવે છે તેમજ શરદ પુર્ણિમાના પાવન અવસરે તાલાલા શહેર ની તમામ ગરબી મંડળની બાળાઓનો 'મહા પ્રસાદ' યોજાયેલ તેમજ ભાવિક ભકતજનોએ પણ મહા પ્રસાદ લીધેલ હતો આ ઉપરાંત રાત્રીના મંદિર ના પરિસર ગ્રાઉન્ડ મા 'રાસ ગરબા'ની રંગત જામી હતી તાલાલા શહેરના ગ્રામ જનોએ બહોળી સંખ્યામા લાભ લીધેલ હતો જે કાર્યક્રમ શ્રી ઉદાસીન આશ્રમ 'હરિ હર ગ્રુપ' તાલાલા દ્વારા યોજાયેલ હતો તેમજ હાલના મહંત પૂજય સંત શ્રી ગણેશમુનિજી મહારાજશ્રી આ પ્રંસગે આશીર્વાદ પાઠવેલ હતા જે યાદી પૂજય સંત શ્રી સોબરનદાસબાપુ ના સેવક શ્રી ભુપતભાઈ વાઘેલા , શ્રી સોમનાથસિંહબાપુ તથા હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:03 am IST)