Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જામકંડોરણાના સાજડીયાળીમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ તેમજ રાસોત્સવની ઉજવણી

જામકંડોરણાના સાજડીયાળી ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ યોજાયો હતો. (તસ્વીર : મનસુખ બાલધા)

(મનસુખ બાલધા દ્વારા) જામજોધપુર તા.ર૦ : જામકંડોરણાના સાજડીયાળી ગામે શ્રીમતી તિજાદેવી હરિબક્ષ લોહીયા પ્રા. શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભગારૂપે ઇન્દીરાનગર સી.આર.સી.કક્ષાનો કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાજડીયાળી, ધોળીધાર, બેલડા, ઉજળા, રંગપર, ઇન્દીરાનગર, બંધિયા અને બોરીયા પ્રાથમીક શાળઓના બાળ કલાકારોએ ચિત્રકલા, કાવ્યગાન,  નિબંધ, વકતૃત્વ વગેરે સ્પર્ધાઓમાં ભાગ  લઇને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સ્પર્ધા દ્વારા પ્રગટ કરી હતી. જેમાં બાળ કલાકારોએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્ર દોરીને ઉત્કૃષ્ટ રજુઆત કરી પોતાના વિચારો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે શાળામાં રાસોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ મન ભરીને ઝુમ્યા હતા. આ પ્રસંગે સી.આર. સી. કોઓર્ડીનેટર ઉમેદભાઇ વાળા દ્વારા ભાગ લેનાર તમામ બાળ કલાકારોને તેમજ ગરબે રમનાર દેવી સ્વરૂપા બાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. સાથે પ્રથમ બીજો અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના ભુતપર્વ વિદ્યાર્થી કેવિનભાઇરાણપરીયા દરા તમામ બાળકોને બટુક ભોજન કરાવીશાળા પ્રત્યેની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે જામકંડોરણા તાલુકાના શિક્ષણ વિભાગના ઇન.કે.ની.ધારાબેન વૈષ્ણવ, સી.આર.સી. કોઓ. ઉમેદભાઇ વાળા, તાલુકા શાળા, ધોળીધારના પ્રિન્સીપાલ ભરતભાઇ અંટાળા, તેમજ ભાગ લેનાર શાળાઓના આચાર્યશ્રીઓ  અને શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી. રાજકોટ જિલ્લા દુધ સંઘના પુર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ બાળકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ સરપંચશ્રીએ  મુલાકાત લીધી હતી. આ સમગ્ર આયોજનને સફળબનાવવા માટે શાળાના આચાર્ય વિજયભાઇ રાણપરીયા તેમજશાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

(11:47 am IST)