Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જામનગરમાં સવારે જર્જરીત ૪ દુકાનો ધરાશાયી : કાટમાળમાં કાર અને રિક્ષા દબાઇ : વિજ પોલ પણ પડ્યો

જામનગર : જામનગરના કાશીવિશ્વનાથ રોડ નજીક આવેલ ભંગાર બજારમાં આજે સવારે ૯ વાગ્યાના અરસામાં એકા-એક ૪ દુકાનો ધરાશાયી થઇ હતી આ દુઘર્ટનાને પગલે ચાર દુકાનો ધરાસાઇ થતા તેના કાટમાળમાં કાર અને રિક્ષા પણ દબાઇ ગઇ હતી. આ ઉપરાંત ત્યાંથી પસાર થતા વીજલાઇનને જોડતાં વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી અને ઇજા પણ થઇ ન હતી. જુનવાણી અને જર્જરીત દુકાનોની દિવાલ પડી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(1:19 pm IST)