Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સાવરકુંડલાઃ ઇદે મિલાદુન્નબીનુ જૂલૂસ શાંતિપુર્ણ રીતે સંપન્ન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાતા. ર૧ :.. ઇસ્લામધર્મના સ્થાપક મહાન મોહંમદ પયંગબર સાહેબ આપ (સ.અ.વ.) ના જન્મદિન પ્રસંગે સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે લોકો સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી અરસ-પરસ પોલીસની સુચનાનું શિસ્તબધ્ધ રીતે પાલન કરી જુલુસમાં સામેલ થયા હતાં.

અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં સાદગીપુર્ણ રીતે દુરૂદો સલામ અને નાત શરીફ પઢતા પઢતા સરકારશ્રીની ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે પદયાત્રા સ્વરૂપે લોકોએ સામેલ થઇ કોમી એકતા અને ભાઇચારાના માહોલમાં નિયત સમય મર્યાદામાં જૂલૂસ સંપન્ન થયું હતું તેમ ગ્યાસુદીન શેખ ધારાસભ્ય, મોહંમદ જાવેદ પીરઝાદા ધારાસભ્ય અને ઇમરાન ખેડાવાલા ધારાસભ્યએ જણાવ્યું છે.

(1:24 pm IST)