Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સરદાર વલ્લભભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે મોરબીના રવાપરમાં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ચેતના મહાસંમેલન

૩૧ મીએ રાત્રે આપણા અધિકારો માટે જાગૃત થવા અપીલ કરશે

રાજકોટ,તા. ૨૧ : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે મોરબીના રવાપરમાં તા. ૩૧નાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે.

તા. ૩૧ ઓકટોબરના સાંજે ૭:૩૦ વાગ્યે રવાપર મોરબી ખાતે બીજા માટે નહીં લડો તો ચાલશે. પરંતુ પોતાની આવનારી પેઢીના અધિકાર માટે જાગૃત થઇને હુંકાર કરવા અપીલ કરશે.

અખંડ ભારતના શિલ્પી અને ભારત રત્નશ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મજયંતિ નિમિતે આપણા સૌના લડાયક યુવા નેતા હાર્દિક પટેલના નેતૃત્વમાં જનહિત માટે ઐતિહાસિક ચેતના મહાસંમેલનમાં સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

ખેડૂત, યુવાનઘ મધ્યમવર્ગીય પરિવાર, નાના વેપારી, વિદ્યાર્થી અને મહિલાઓને ગુજરાતના હિત માટે ચાલતી આ લડાઇમાં પોતાની ભાગીદારી આપવા અપીલ કરાઇ છે.

(1:25 pm IST)